વાંકાનેરના સતાપર ગામે મારામારીના બનાવમાં વળતી ફરિયાદ નોંધાઇ

- text


વાંકાનેર : વાંકાનેર સતાપર ગામે ઉછીના પૈસા આપવામાં મામલે મારામારીની ઘટના બની હતી. જેમાં એકપક્ષેથી ફરિયાદ નોંધાવ્યા બાદ સામાપક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી હતી. જેમાં સમાપક્ષેથી વનાભાઇ ગેલાભાઇ મેર ઉ.વ. ૫૫ રહે. ગામ સતાપર,વાંકાનેર વાળાએ આરોપી દિનેશભાઇ વનાભાઇ મેર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૪ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં સતાપર ગામે બનેલા આ બનાવમાં ફરીયાદીએ આરોપીને કહેલ કે, અમે ગામમા વ્યાજે પૈસા અપાવી એમા તારે શું થાય છે. તેમ કહેતા આ આરોપીએ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો આપી પેટના ભાગે લાત મારી મુંઢ ઇજા પહોચાડી મારી નાંખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વાંકાનેર તાલુકા પો.હેઙ કોન્સ. ધર્મેન્દ્રસિંહ અનિરૂધ્ધસિંહ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

- text