મોરબી : સોનેજી પરિવાર દ્વારા કાલથી ભાગવત સપ્તાહ

- text


મોરબી : મોરબીમાં રહેતા ગોવિંદલાલ કેશવલાલ સોનેજી તથા તેમના પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, નાની બજાર ખાતે શાસ્ત્રી નીખિલભાઈ જોશીના વ્યાસપીઠ સ્થાને આવતીકાલે તા. 20 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં ભાવિકો રસાળ શૈલીમાં વિવિધ પ્રસંગોનું રસપાન કરી શકશે.

- text