વાંકાનેર નજીક ટ્રેનમાંથી પડી જતા પરપ્રાંતીય યુવાનનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના કણકોટ ગામ નજીકથી પસાર થતા રેલવે ટ્રેક પર પસાર થતી પેસેન્જર ટ્રેનમાંથી બે દિવસ પુર્વે 26 વર્ષીય પરપ્રાંતીય યુવાન કોઈ કારણોસર પડી જતા તેમનું મોત થયું હતું. બનાવની જાણ થતાં વાંકાનેર રેલ્વે પોલીસ તથા રાજકોટ રેલ્વે પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. આ રેલ્વે ટ્રેક વિસ્તાર રાજકોટ રેલ્વે પોલીસ હેઠળ આવતો હોવાથી બનાવની વધુ તપાસ રાજકોટ રેલ્વે પોલીસ ચલાવી રહી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મુળ ઓરીસાનો વતની અને હાલ સુરત ખાતે રહી સાડીના કારખાનાઓમાં કામ કરતો યુવાન દિવાળી વેકેશન અર્થે બે દિવસ પુર્વે દર્શન કરવા માટે સુરતથી દ્વારકા ટ્રેનમાં જતો હતો. તે દરમિયાન અચાનક વાંકાનેર તાલુકાના કણકોટ ગામ નજીક ટ્રેનમાંથી પડી જતા આ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતુ.

- text

મૃતક યુવાન અને તેના ત્રણ સગાભાઇ સહિત કુલ 11 યુવાનો દ્વારકા દર્શન માટે જઇ રહ્યા હતા ત્યારે બે દિવસ પહેલા વાંકાનેર–રાજકોટ વચ્ચે મોડી રાત્રીના સમયે શંકર સંતોષ વિસોય નામના 26 વર્ષીય યુવાન અજાણ્યા કારણોસર ચાલુ ટ્રેનમાંથી નીચે પડી જતા તેનું મૃત્યુ થયેલ હતું. આ યુવકના મૃતદેહને પીએમ અર્થે વાંકાનેર લાવવામાં આવેલ, જ્યાંથી પી.એમ. બાદ યુવાનના મૃતદેહને તેના પરીવારને સોંપવામાં આવ્યો હતો. રાજકોટ રેલ્વે પોલીસ દ્વારા આ બનાવની વધુ તાપસ કરવામાં આવી રહી છે.

- text