મોરબી : અતિવૃષ્ટિની ઝપેટમાં આવેલા ખેડૂતોને મદદરૂપ થવા વહીવટી તંત્રને આપનું આવેદન

- text


મોરબી : ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં 170% થી પણ વધુ વરસાદ થયો છે ત્યારે તાજેતરમાં પડેલ કમોસમી વરસાદના કારણે જગતના તાત ખેડૂતોને ભારે નુકશાન થયેલ છે જેની સામે સરકારની સૂચના થી ખેડૂતો માટે નુકશાની અંગેની ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૦૦૫૧૪૨ ફાળવેલ છે ત્યારે આ નંબર પર ફોને ન લાગવાની ઘણા ખેડૂતો દ્વારા ફરિયાદ કરતા આમ આદમી પાર્ટી મોરબી દ્વારા મોરબી જિલ્લાના વહીવટી તંત્રને આવેદન આપેલ છે જેમાં દરેક તાલુકા તેમજ જિલ્લામાં ખેડૂત સહાય કેન્દ્ર શરૂ કરવા અથવા લેખિતમાં તેમની ફરિયાદો લઈ તાત્કાલિક વીમા સહાય ચુકવવામાં મદદ રૂપ બનવાની માંગ ઉઠાવાઈ છે.

- text