રોટરીનગર ગામે બેસતા વર્ષના દિવસે યુવાનોએ વ્યસનોને આપી તિલાંજલી

- text


મોરબી : મોરબીના રોટરીનગર ગામે બેસતા વર્ષના દિવસે ભંખોડીયા પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભંખોડીયા પરિવાર દ્વારા આયોજિત મિશન એજ્યુકેશન હેઠળ પરિવારના તેજસ્વી વિધાર્થીઓનું સન્માન અને બેસતા વર્ષના દિવસે સ્નેહમિલન તથા વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં મોરબી તાલુકાના સાદુંળકા, લક્ષમીનગર અને રોટરીનગર સહિત મોરબી જિલ્લામાં વસતા ભંખોડીયા પરિવારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકમેકને પ્રેમાળ પૂર્વક નવું વર્ષ તમામ રીતે ફળદાયી નીવડે તેવી અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી. બાદમાં પરિવારના તેજસ્વી છાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું. અને વ્યસન મુક્તિના કાર્યક્રમમાં ભંખોડીયા પરિવારના યુવાનોએ સદાય માટે વ્યસનોની તિલાંજલિના સંકલ્પ લીધા હતા.

- text

- text