વરસાદના કારણે થોરાળા,વાઘગઢ,સજનપર ગામે આજે નાટકના પોગ્રામ રદ કરાયા

- text


થોરાળા,વાઘગઢ બંને ગામમાં આજે 29મીએ યોજાનારા નાટક હવે કાલે 30મીએ યોજાશે જયારે સજનપરની તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે

મોરબી : મોરબી જિલ્લામાં આજે ભાઈબીજના દિવસે વાતાવરણમાં અચાનક પલ્ટા સાથે કમૌસમી વરસાદ પડતા થોરાળા, વાઘગઢ અને સજનપર ગામે આજે 29મીની રાત્રીના ભાઈબીજના તહેવારે યાજનારા નાટકના કાર્યક્રમને મોકૂફ રાખવાની ગ્રામજનો દ્વારા જાહેરાત કરવામાં આવી છે. થોરાળા,વાઘગઢ આ બંને ગામોમાં આજે 29મીએ યોજનારા નાટકો હવે કાલે 30મીએ યોજાશે। જયારે સજનપર ગામના આજે રદ થયેલા નાટકના કાર્યક્રમની તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે.તેવું ગ્રામજનોની યાદીમાં જણાવેલ છે. જેની સૌ લોકોએ નોંધ લેવી.

- text

- text