બગથળાના નકલંક ધામમાં નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટનું આયોજન

- text


મોરબી : નકલંક ધામ – બગથળા ખાતે પડવો (નૂતન વર્ષ) નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. 28/10/2019ને સોમવારના રોજ કારતક સુદ એકમના દિવસે મંદિરમાં ભગવાનને અન્નકૂટ ભોગનું આયોજન કરવામાં આવ્યું છે. અન્નકૂટ દર્શનનો સમય સવારે 9 વાગ્યાથી તથા 9-30 વાગ્યાથી મહાપ્રસાદનું વિતરણ કરી શકાશે. આ પ્રસંગે દર્શનનો તથા મહાપ્રસાદનો લાભ લેવા માટે મંદિરના મહંત તથા ટ્રસ્ટીઓ દ્વારા ધર્મપ્રેમી લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાત્રે 10 વાગ્યે સંતવાણી કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક ઓસમાન મીર તથા સાથી કલાકારો જમાવટ કરશે. જેનો લ્હાવો લોકો લઇ શકશે.

- text


 

- text