મોરબીના ભળિયાદમાં આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીના હેલ્થ ઓફિસર ડો.રાહુલ એન. કોટડીયાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા મોરબી તાલુકાના ભળીયાદ ગામે બાળ-મરણ વિશે આરોગ્યની સપ્તધારા દ્વારા વ્યવસ્થિત રીતે અલગ અલગ ધારાઓ દ્વારા સમજણ આપવામાં આવેલ હતી. જેમાં પપેટ શો, યોગ, સંગીત, જ્ઞાન, નાટયધારા વગેરે ધારા દ્વારા કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં અરવિંદ પરમાર તેમજ એ. બી. ઝાલા, શૈલેષ પારેજીયા, દીપકભાઈ વ્યાસ દ્વારા પપેટ શો કરવામાં આવેલ હતો.તેમજ ભળીયાદ ગામના સરપંચની હાજરીમાં તમામ સગર્ભા બહેનોને દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવેલ હતું. આ ઉપરાંત, આઈ.સી.ડી.એસ વિભાગના સી.ડી.પી.ઓ ભાવનાબેન ઠોરિયાની ટીમ તથા તાલુકા હેલ્થ ઓફીસ ટીમ દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં તમામ ઉપસ્થિત તમામ બહેનોને પોષણ સહ બાળકના શપથ લેવડાવવામાં આવેલ હતા. તેમજ અલગ અલગ વાનગીઓ બનાવવી અને તેમના ફાયદાઓ વિશે સમજાવવામાં આવ્યું હતું. વધુમાં, તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાહુલ કોટડીયા દ્વારા ઉપસ્થિત તમામ લોકોને મચ્છરદાનીમા સુવાની તેમજ સગર્ભાવસ્થાની જાણ થતાની સાથે જ નર્સ બેનને નોંધણી કરાવાની સલાહ આપવામાં આવી હતી.

- text