મોરબીમાં તરુણની હત્યાનો કેસ ઉકેલવા પોલીસની વિવિધ દિશામાં તપાસ

- text


મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ નોનવેજના થડામાં કામ કરતા એક સગીરની થોડા દિવસો પહેલા થયેલી હત્યાના બનાવમાં પોલીસને હજુ હત્યારા સુધી દોરી જાય તેવી કોઈ નક્કર કડી મળી નથી.જોકે તાલુકા પોલીસે આ હત્યાના બનાવ મામલે વિવિધ દિશામાં સઘન તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના કાંતિપૂર અને રંગપર ગામની સીમમાં ઔદ્યોગિક ઝોનમાં આવેલ એક નોંવેજના થડામાં કામ કરતા સગીરની થોડા દિવસો પહેલા રંપગરના સીમ વિસ્તાર નજીક કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બાદમાં તાલુકા પોલીસે આ બનાવ અંગે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.જોકે સગીરની હત્યા થયા આજે પાંચેક દિવસ બાદ પણ સગીરની હત્યા કોણે કરી હતી? શુ કામ હત્યા કરી હતી ? તે રહસ્ય હજુ સુધી ધુંટાયેલું રહ્યું છે.પોલીસને હજુ સુધી હત્યારાઓના કોઈ સગડ મળ્યા નથી.તાલુકા પોલીસે જણાવ્યું હતું કે,બનવની આસપાસના સંદિગ્ધ લોકોની સઘન પૂછપરછ ચાલી રહી છે જોકે હજુ સુધી આ બનાવ અંગે આરોપીઓની કોઈ કડી મળી નથી પણ બનાવ સ્થળની આસપાસના વિસ્તારોમાં સઘન રીતે તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

 

- text