જૂનાઘાંટીલા ગામે દૂધેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં શ્રાવણી અમાસે ભવ્ય લોકમેળો યોજાશે

- text


મોરબી : તારીખ 30/8/2019ને શુક્રવારનાં દિવસે જુના ઘાટીલા ગામે ભવ્ય અને વિશાળ લોકમેળાનું આયોજન કરવામા આવ્યુ છે.

દુધેશ્વર મહાદેવના સાનિધ્યમાં આયોજિત થનાર આ લોકમેળામાં હકડેઠઠ ભીડ મેળો માણવા ઉમટી પડે છે. ત્યારે મોરબી તથા આજુબાજુના વિસ્તારની જાહેર જનતાને દુધેશ્વર દાદાનાં દર્શનનોનો લ્હાવો લેવા તેમજ મેળાની મોજ માણવા માટે મંદિરના પુજારી જીગું બાપુ તરફથી જાહેર આમંત્રણ પાઠવાયું છે. ઉલ્લેખનીય છે કે આ મંદિર વિડજા પરિવારની અસ્થાનું કેન્દ્ર છે. જે વિડજા પરિવાર દ્વારા નિર્મિત થયું છે એવી પૂરક માહિતી ભાવિકભાઈ વિડજાએ આપી છે.

- text