- text
મોરબી : મોરબીના આમરણ-બાદનપર ગામે શ્રમજીવી પરિવારના પુત્રને વીંછી કરડતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
- text
આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના આમરણ-બાદનપર ગામે રહીને ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારના પુત્ર રાહુલ ગુલાબભાઈ ડામોરને તા.27ના રોજ આમરણ ગામની સીમમાં હિતેશભાઈના વાડામાંથી વીંછી કરડ્યો હતો.આથી આ બાળકને બેભાન હાલતમાં પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.જ્યાં સારવાર કારગત ન નીવડ્યા આ બાળકનું મોત નીપજ્યું હતું.આ બનાવથી શ્રમજીવી પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.આજે આ બનાવના રાજકોટથી કાગળિયા આવતા મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text