મોરબી : એસબીઆઈ બેંક દ્વારા કેસરબાગમાં વૃક્ષારોપણ કરાયું

- text


મોરબી : મોરબીમાં એસબીઆઈ બેંક શાખા દ્વારા આજે કેસરબાગમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ભારતીય સ્ટેટ બેંકના સ્થાપના દિવસની ઉજવણીના ભાગ રૂપે આજે કેસરબાગમાં વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી.

મોરબી એસબીઆઈ બેન્ક શાખા દ્વારા આજે ભારતીય સ્ટેટ બેકના સ્થાપના દિવસની ઉજવણીના ભાગ રૂપે મોરબીના સામાકાંઠે આવેલ કેસરબાગમાં વૃક્ષરોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધિક કલેકટર જોશી તથા મોરબીમાં આવેલી તમામ એસબીઆઈ શાખાનો સમગ્ર સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો અને કેસરબાગમાં તમામ એસબીઆઈ બેકશાખાના સ્ટાફગણ દ્વારા એકએક વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ રીતે અનેક વૃક્ષો કેસરબાગમાં વાવવામાં આવ્યા હતા.

- text

આમ મોરબી એસબીઆઈ શાખાએ પર્યાવરણનું જતન કરવા અને કેસરબાગને લીલોછમ હરિયાળો બનાવવા માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજીને સ્ટેટ બેંકના સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text