મોરબી : સીરામીક વેપારીના 3 વર્ષના બાળકના શંકાસ્પદ મોતથી અરેરાટી

- text


મોરબી : મોરબીના સામાંકાંઠે આવેલા ઋષભનગર સોસાયટીમાં રહેતા સીરામીક વેપારી પટેલ પરિવારના ત્રણ વર્ષના પુત્રનું શંકસ્પદ હાલતમાં મૃત્યુ નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.બનાવની જાણ થતાં મોરબી પોલીસે ઘટના સ્થળે પોહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઋષભનગર વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં રહેતા સીરામીકના ટ્રેડિંગનો વ્યવસાય કરતા રાજેશભાઈ ડઢાંણીયાનાં ત્રણ વર્ષના દીકરા નિત્યની શંકાસ્પદ હાલતમાં તેના જ ઘરમાંથી ડેડબોડી મળી આવતા ભારે ચકચાર મચી ગઇ છે. બાળકના ગળાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા છે.

- text

હાલ માસુમ બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જઈને પી.એમ કરવા તજવીજ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં મોરબી બી ડિવિઝન પોલીસ, એલ.સી.બી. અને સીપીઆઈ એ સિવિલ હોસ્પિટલ પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

- text