વાંકાનેર : પરિણીતાની હત્યાના કેસમાં પતિ સહિતના શકમંદોની ઉલટ તપાસ

- text


મૃતક મહિલાનો પતિ અને અન્ય શ્રમિકો શંકાના દાયરામાં : તપાસનો ધમધમાટ

વાંકાનેર : વાંકાનેર નજીક એક પરિણીતાની ગળાટુંપો દઈને હત્યા કર્યા બાદ તેંનો મૃતદેહ મળી આવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે પોલીસે પરિણીતાના પતિ સહિત અન્ય શ્રમિકની ઉલટ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે સૂર્યા સીરામીકમાં લક્ષ્મીબેન પીરુંલાલ બલાઈ ઉ.વ. 25 નામની પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં પ્રાથમિક તપાસમા આ મહિલાનું કોઈએ ગળું દબાવીને હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. જેથી વાંકાનેર તાલુકા પોલીસે મૃતક પરિણીતાના પતિ પીરુંલાલ ગબ્બાલાલ બલાઈ તેમજ તેમની સાથે કામ કરતા અન્ય શ્રમિકો શંકાના દાયરામાં હોવાથી તેઓની ઉલટ તપાસ શરૂ કરી હોવાનું પીએસઆઈ ગોહિલે જણાવ્યું છે.

 

- text