મોરબી : સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસ મહોત્સવ નીમિતે જ્ઞાનવર્ધક માહિતીઓનું પ્રદર્શન યોજાશે

- text


મોરબી : મોરબીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસ નિમિતે બાળકોમાં સંસ્કારોનું સિંચન સાથે જીવન ઘડતર કરી શકાય તે માટે જ્ઞાનવર્ધક માહિતી અંગેના પ્રદશનનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રદશનમાં જીવન મૂલ્યોના પાઠ , સંસ્કૃતિઅને વ્યસન મુક્તિ સહિતની બાળ જનજાગૃતિ અંગે માહિતી આપવામાં આવશે.

- text

મોરબીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસ મહોત્સવ નિમતે આગામી તા.12 જુનથી 17 જૂન સુધી સવારે 7:30થી રાત્રીના 8 વાગ્યા દરમ્યાન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, ઝૂલતા પુલની બાજુમાં મોરબી-2 ખાતે બાળકો માટે રચનાત્મક માહિતીઓ અંગે પ્રદશનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં બાળકોને જીવનનું અમૂલ્ય ભાથું આપી શકાય તેવું પ્રદર્શન ગોઠવવામાં આવશે.જે પ્રદર્શન નિહાળીને બાળકોને આજીવન વ્યસનમુક્ત સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે પ્રેરણા મળશે અને આ પ્રદર્શનથી બાળકોને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સાચું જ્ઞાન થશે અને જીવન મૂલ્યોનું સાચા જ્ઞાનનું સિંચન કરી શકાશે એકંદરે બાળકો માટે આ પ્રદર્શનની.મુલાકાત જીવનનું રસપ્રદ સંભારણુ બની રહેશે.આ ઉપરાંત પ્રદર્શન ખંડમાં બે ટૂંકી ફિલ્મો દર્શાવાશે. અને આ પ્રદર્શન નિહાળવા માટે કોઈ ફી રાખવામાં આવી નથી.વિનામૂલ્યે જ નિહાળી શકાશે. તેથી આ પ્રદર્શનનો લાભ લેવા ઇચ્છતા બાળકો અને શાળા કોલેજોને અગાઉથી રજિસ્ટ્રેશન કરાવી નીચે આપેલી લિંક પર ક્લિક કરી ગૂગલ ફોર્મ ભરી આપવા અનુરોધ કરાયો છે.

https://forms.gle/e9E3hokHQMdYvsYE9

- text