મોરબી: મિત્રોને શ્રદ્ધાંજલિ આપવા માટે પક્ષીઓના પાણીના કુંડાનું વિતરણ

- text


સ્વ. મિત તથા સ્વ. હર્ષની આત્માને શાંતિ આપવા પ્રેરણાદાયી કાર્ય

મોરબી: મોરબી જિલ્લાના નિવાસી મિત મહેશભાઈ મેરજા તથા હર્ષ મહેશભાઈ પરમાર નામના બે આશાસ્પદ યુવાનોનું અણધાર્યું અવસાન થયું હતું. તેમના અવસાનથી તેમના પરિવાર અને મિત્રવર્ગને આંચકો લાગ્યો હતો. તેમના આત્માને શાંતિ આપવા માટે તેમના મિત્રો દ્વારા શ્રદ્ધાંજલિ રૂપે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિના મુલ્યે વિતરણ કરવાનું પ્રેરણાદાયી તથા માનવતાલક્ષી કાર્ય કરવાનું જાહેર કર્યું છે. આ કુંડનું વિતરણ તારીખ 7ને રવિવારે સવારે 8:30 વાગ્યે ઓમ શાંતિ સ્કૂલ ગ્રાઉન્ડ, સરદાર બાગ સામે, શનાળા રોડ, મોરબી ખાતે કરવામાં આવશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text