મોરબી રાજપૂત સમાજ દ્વારા શહીદ પરિવારને રૂબરૂ મળીને 5.75 લાખની સહાય અર્પણ કરી

- text


મોરબી : મોરબી રાજપૂત કરણી સેના, રાજપૂત સમાજ અને રાજપૂત યુવા સંઘના હોદેદારોએ નવાળીયા ગામના શહીદ પરિવારને રૂબરૂ મળી સાંત્વના પાઠવી હાથો હાથ 5.75 લાખ રૂપિયાની સહાય અર્પણ કરી હતી.

નવાળીયા ગામના વીર શહીદ ધનરાજસિંહ ડી પરમાર (એરફોર્સ)ને શ્રધાંજલિ રૂપે મળેલ રોકડ રકમ રૂ. ૫,૬૧,૦૦૦/- તથા A/C ટ્રાન્સફ રકમ રૂ: ૧૪,૨૦૪ , કુલ મળી રૂ. ૫,૭૫,૯૦૩/- નું યોગદાન તેમના ગામ નવાળીયા જઈ તેમના પરિવારના હાથમાં અર્પણ કરવામા આવ્યું હતું. આ સામાજિક કાર્યમાં મોરબી રાજપૂત કરણી સેના, મોરબી રાજપૂત સમાજ,મોરબી રાજપૂત યુવા સંઘના હોદેદારોએ હાજરી આપી કાર્યને સફળતા પૂર્વક પૂર્ણ કરેલ.

- text

સાથે સાથે શહિદ ધનરાજસિંહ ના પરિવાર દ્વારા આ કાર્યના દરેક દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text