મોરબીમાં ગોત્રીજના પ્રસંગમાં પ્રજ્ઞાચક્ષુઓને જમાડી સન્માન કરાયુ

- text


હરણીયા પરિવાર દ્વારા પુત્ર રત્ન વધામણાંના પ્રસંગમાં પ્રેરણાદાયી પહેલ

મોરબી : મોરબીના હરણીયા પરિવાર દ્વારા પુત્ર રત્નના વધામણાં કરવા માટે યોજાયેલા ગોત્રીજના પ્રસંગમાં પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી.જેમાં નેત્રહીન સંસ્થાના પ્રજ્ઞાચક્ષુઓને સન્માનભેર બોલાવી તેમને ભાવતા ભોજનીયા કરાવી અદકેરું સન્માન કયું હતું.

મોરબીમાં રહેતા હરણીયા પરિવારના મનીષભાઈ અને હીનાબેનને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો હતો.આથી પુત્ર જન્મના વધામણાં કરવા માટે હરણીયા પરિવાર દ્વારા ગોત્રીજ ઉસત્વ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રવાપર ઘુનડા રોડ ઉપર આવેલા ગોકુલફાર્મ ખાતે ભોજન સમારંભ રાખવામાં આવ્યો છે.ત્યારે હરણીયા પરિવારે પુત્રરત્નના ગોત્રીજ પ્રસંગમાં ખાસ મહેમાનો તરીકે લક્ષમીનગર ગામે આવેલ પ્રજ્ઞાચક્ષુઓને ભાવભીનું નિમંત્રણ આપ્યું હતું અને ગોત્રીજ ઉસત્વના સ્થળે નેત્રહીન ભાઈ બહેનોને માન સન્માનભેર બોલાવી ઉમળકાભેર આવકાર આપીને પરિવારના સભ્યોએ પોતાના હાથેથી પ્રજ્ઞાચક્ષુઓ સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું હતું.બાદમાં આ તમામ પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને શાલ ઓઢાડી સન્માન કરીને સમા જને નવો રાહ ચીંધ્યો હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text