- text
સંતો- મહંતો અને વડીલોના આશીર્વાદ લઈને ૧૧ નવયુગલો પ્રભુતામા પગલાં માંડશે
મોરબી : મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર દ્વારા સર્વ જ્ઞાતિય સમુહ લગ્નોત્સવનું આગામી તા. ૧૦ માર્ચના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમા ૧૧ નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે.
મોરબીમા આવેલ ધક્કાવાળી મેલડી માતાજીનાં મંદિર તરફથી સર્વેજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. આ સમૂહ લગ્ન આગામી તા. ૧૦ માર્ચના રોજ રોકડિયા હનુમાનજીના મંદિર (નવલખી) એ યોજાનાર છે. આ સમૂહ લગ્નમાં વડીલો તેમજ સંતો અને મહંતોના આશીર્વાદ લઈને કુલ ૧૧ નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે.
- text
મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en
- text