- text
શિવરાત્રીએ યોજાનાર બૌધોત્સવ પૂર્વે દરબાર ગઢની સકલ બદલાઈ જશે
ટંકારા : ખખડધજ હાલતમા રહેલા રોડ ને ઉખેડી નવા રોડ બનાવવા માટે ટંકારા મહીલા સરપંચ નિશાબેન ત્રિવેદીએ કમર કસી હોય તેમ યુધ્ધના ધોરણે કામ શરુ કરી દીધુ છે. હાલ શહેરના મુખ્ય ચોક દયાનંદ સરસ્વતી દરબાર ગઢને પેવરબ્લોકથી મઢવામા આવી રહ્યો છે.
- text
ઋષિ બૌધોત્સવમા જ્યારે દેશ વિદેશથી આર્ય વિચારકો અહી આવશે તે પૂર્વે રોડ સહિતના કામો પુરા કરવા તંત્રએ કમર કસી છે જુના આર્ય સમાજ સુધીનો રોડ પણ નવો બની રહ્યો છે.ત્યારે આગામી સમયમાં ટંકારા ખાતે યોજાનાર ઋષિ બૌધોત્સવમાં ભાગ લેવા આવી રહેલા દેશ વિદેશના ભાવિકોને સારી સવલતો મળી રહેશે.
મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en
- text