મોરબી : ભીમાણી પરિવારના દિવંગત વડીલને રક્તદાન રૂપી શ્રધાંજલિ અપાઈ

- text


50 લોકે રક્તદાન કર્યું

મોરબી : મીરબીમાં ભીમણી પરિવારના દિવંગત વડીલને રક્તદાન રૂપી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.જેમાં રક્તદાન કેમ્પમાં 50 લોકોએ રક્તદાન કરી રક્તદાન મહદાન હોવાનો સંકલ્પને ખરા અર્થમાં સાર્થક કર્યો હતો.

મોરબીના ભીમણી પરિવારના દિવંગત વડીલ નારણભાઇ હરખજીભાઈ ભીમાણીની પુયય સ્મૂતિમાં તેમને ખરાઅર્થમાં શ્રધાંજલિ અપર્ણ કરવાના હેતુસર આજે તેમના પરિવારજનો દ્વારા હરીપર મુકામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ડો. આર. આર. પાનેલીયા(મેડિકલ ઓફિસર), ભરતભાઈ હજારે, પઠાણ મોઇન ખાન, નરેશ કીંડારીયા અને નયન રૈયાણીએ સેવા આપી હતી. જેમાં 51 જેટલા દાતાઓએ રક્તદાન કર્યું હતું. આ રીતે મોરબીના ભીમાણી પરિવારે રક્તદાન એ મહાદાન સૂત્રને ચરિતાર્થ કર્યું હતું.સાથોસાથ દિવંગત વડીલને રક્તદાન રૂપી શ્રધાંજલિ આપીને જરીરીયાતમદ દર્દીઓના હમદર્દ બનવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text