મોરબી વૃધ્ધાશ્રમમાં મોતને ભેટેલા નિરાધાર મહિલાની અંતિમવિધિ કરતું પંચમુખી ટ્રસ્ટ

- text


ટ્રસ્ટના સભ્યોએ સગા દીકરા બની કાંધ આપી અંતિમક્રિયા કરી

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વૃદ્ધાશ્રમમાં રહેતા મહિલાનું અવસાન થતાં તેમના કોઈ વાલી વારસ ન હોય પંચમુખી ટ્રસ્ટના સભ્યોએ દીકરાની ફરજ બજાવી વૃધ્ધાને કાંધ આપી અંતિમ સંસ્કાર કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વૃદ્ધાશ્રમમાં એકલવાયું જીવન જીવતા મહિલાનું અવસાન થતાં તેમની અંતિમવિધિને લઈ સંચાલકો મૂંઝવણમાં મુકાયા હતા, બીજી તરફ આ વાતની જાણ મોરબી પંચમુખી ટ્રસ્ટને થતા ટ્રસ્ટના સભ્યો તુરત જ વૃધ્ધાશ્રમ પહોંચી ગયા હતા.

- text

વધુમાં પંચમુખી ટ્રસ્ટના સભ્યો દ્વારા નિરાધાર મહિલાના સગા દીકરા હોય તે રીતે વિધિ વિધાન મુજબ અંતિમક્રિયા કરવા નક્કી કરી પૂર્ણ માન સન્માન સાથે સ્મશાનગૃહમાં અંતિમવિધિ કરવામાં આવતા વૃદ્ધાશ્રમના વડીલોની આંખો ઝળઝળા થઈ ગઈ હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text