મોરબી બાયપાસ પ્રોજેક્ટ ઝડપથી પૂરો કરવાની માંગ

- text


મોરબી ઔદ્યોગિક નગરી બનતું જતું હોવાથી બાયપાસ જરૂરી: હસમુખ ગઢવી

મોરબી: મોરબી આજે દિવસે દસ ગણું અને રાત્રે સો ગણું વિકસી રહ્યું છે, જેને કારણે મોરબીમાં સીરામીક, સેનીટેશન, ઘડિયાળ, કાવાલુ, હીરા જેવા ઉદ્યોગો વિકસી રહ્યાં છે. મોરબીને વધુ ને વધુ વિકસાવવા માટે ઉપરાંત અકસ્માતો નિવારવા માટે મોરબી નગર બાયપાસ પાર્ટ ૧,૨,૩,૪ પૂરા કરવા જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે મોરબી માં સીરામીક અને સેનીટેશન ઉદ્યોગમાં ટ્રાન્સપોર્ટ મહત્વનો ભાગ ભજવે છે. આથી વિશ્વ હિંદુ પરિષદના હસમુખ ગઢવીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મોરબી નગર બાયપાસ પ્રોજેક્ટ પૂરો કરવા માટે લિખિત નિવેદન આપ્યું હતું અને આ પ્રોજેક્ટ જેમ બને તેમ જલદી પૂરો થઈ જશે તેવી ઇચ્છા પણ વ્યકત કરી હતી.

- text

- text