મોરબીમાં મારા પ્લોટમાં કેમ બેઠા છો કહેતા જ વૃધ્ધને છરીના ઘા ઝીકાયા

- text


પ્રજાપતિ વૃધ્ધને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયા

મોરબી : મોરબીના સો-ઓરડી વિસ્તારમાં ગઈકાલે પોતાના પ્લોટમાં કેટલાક લોકો બેઠેલા હોય વૃદ્ધે સાહજિક ભાવે અહીં કેમ બેઠા છો તેવું પૂછતાં જ વિપ્ર આધેડે પ્રજાપતિ વૃદ્ધને છરીના ઘા ઝીકી દેતા ચકચાર જાગી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ કાનજીભાઇ કુવરજીભાઇ બારેજીયા, ઉ.વ.૭૦ રહે સો. ઓરડી પરસુરામનગર મોરબીવાળા પોતાના નિત્યકર્મ મુજબ વરીયાદેવ ના મંદીર બાજુમાથી પસાર થતા પોતાના પ્લોટમાં બેચરભાઇ જગજીવનભાઇ ચાવ, રહે. સો. ઓરડી વરીયાનગરવાળો બેઠો હોવાથી અહીં કેમ બેઠા છો તેવું પૂછતા જ આરોપી બેચરભાઇ ઉશ્કેરાઈ ગયો હતો અને પ્લોટ બાબતે માથાકુટ કરી ગાળો બોલી મારી નાખવાના ઇરાદે છરી વડે પેટમા જમણી બાજુએ છાતી નીચે ગંભીરઇજા કરી તથા જમણા હાથમાકોણી પાસે છરી ઇજા કરી મારી નાખવાની કોશીશ કરતા પોલીસે આ ગંભીર બનાવ મામલે ખૂની હુમલા સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો છે.

- text