વાંકાનેરમા આજે રાત્રીના આનંદના ગરબા

- text


શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં આનંદના ગરબા નું આયોજન

વાંકાનેર : વાંકાનેર ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન આજે રાત્રીના આનંદના ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

- text

વાંકાનેર ખાતે લોહાણા ભોજનશાળામાં ભીંડોરા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પર શાસ્ત્રી નિખિલભાઈ જોશીના મુખે વાંકાનેરની ધર્મપ્રેમી જનતા કથાનો લાભ લઈ રહી છે. શ્રીમદ્ ભગવત સપ્તાહ ના ચોથા દિવસે આજે તા.૧૯ને સોમવારે રાત્રે ૮:૩૦ કલાકે મોઢ બ્રાહ્મણ ભોજનશાળા, રામચોક વાંકાનેર ખાતે જીતુભગત અને માં મુક્તેશ્વરીબેન પ્રેરિત આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેથી આ આનંદના ગરબાનો લાભ લેવા વાંકાનેરની સમસ્ત ધર્મપ્રેમી જનતાને ભીંડોરા પરિવાર તરફથી સ્નેહભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text