મોરબીના ડો. ભાવેશ ઠોરીયાની રાજ્યકક્ષાના ફીઝીયોથેરાપીસ્ટના સંગઠનમા નિમણુંક

- text


મોરબી : મોરબીના શાંતિ ફીઝીયોથેરાપી ક્લીનીક વાળા ડો. ભાવેશ ઠોરીયાની ઘ ઈન્ડીયન એશોસિયેશન ઓફ ફીઝીયોથેરાપીની ગુજરાત રાજ્ય શાખામા સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રતિનીધી તરીકે તાજેતરમા રાજ્ય સ્તરેથી નિમણુંક કરવામા આવી છે.

મુળ મોરબીના બગથળા ગામના વતની એવા ડો. ભાવેશ ઠોરીયાએ એમ.એસ.યુનિવર્સિટીમા અભ્યાસ કરી મોરબીમા સૌપ્રથમ ફીઝીયોથેરાપી ક્લીનીકની સ્થાપના કરી હતી. તેમની ૧૬ વર્ષની કારકિર્દીમા તેઓએ અનેક સિધ્ધીઓ હાંસલ કરવાની સાથે સામાજીક ઉત્કર્ષના અનેક કાર્યો કર્યા છે ત્યારે મોરબી જીલ્લાના તબિબની આ અનોખી સિધ્ધી બદલ ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. રાજ્યકક્ષાના સંગઠનમા નિમણુંક પામી ડો.ભાવેશ ઠોરીયાએ બગથળા ગામ સહીત સમગ્ર મોરબી જીલ્લાનુ ગૌરવ વધાર્યુ છે.

- text

 

- text