મોરબીમા કલાત્મક તાજીયાના ભવ્ય ઝુલુસ નીકળ્યા : રાત્રે તાજીયા ઠંડા થશે

- text


મુસ્લિમ બિરાદરો સાથે હિન્દૂ લોકોએ પણ ખડીચોકીની માનતા પુરી કરી

મોરબી : મોરબીના આજે આશુરાના દિને રાજમાર્ગો પર કલાત્મક તાજીયાના ભવ્ય ઝુલુસ નીકળ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. આજે રાત્રે આ તાજીયા ઠંડા થશે.

- text

ઈસ્લામ ધર્મના સ્થાપક પૈગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ના નવાસા હઝરત ઈમામ હૂસેન અને તેના ૭૨ સાથીદારોએ વ્હોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મનાવાતા મહોરમના પર્વમાં ગઈકાલે તાજીયા પડમાં આવ્યા હતા. ત્યારે ગઇકાલે રાતભર તાજીયા શહેરમાં ફર્યા હતા. બાદમાં આજે બપોરથી ફરી તાજીયાના રાજમાર્ગો પર ઝુલુસ નીકળ્યા હતા.

આ ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઉપરાંત મુસ્લિમ બિરાદરો સાથે અનેક હિન્દૂ લોકોએ પણ તાજીયાના ઝુલુસ વખતે ખડીચોકીની માનતા પુરી કરી ધન્યતા અનુભવી હતી. આજે રાત્રે આ તાજીયા ઠંડા થશે.

- text