મોરબીની ચોટીલા રૂટની બસને અમદાવાદ હાઇવે પર અકસ્માત : બસના ડ્રાઇવરને ઇજા

- text


મોલડી નજીક પાંચ વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માતમાં મોરબી ડેપોની એસટી બસ પણ ઝપટે ચડી ગઈ

વાંકાનેર : અમદાવાદ હાઇવે ઉપર ચોટીલા નજીક આજે સવારે પાંચ વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત સર્જાતા એક વ્‍યકિતનું ઘટના સ્‍થળે મોત નિપજ્‍યું હતું. જ્‍યારે મોરબી ડેપોની વવાણીયા-ચોટીલા રૂટની બસ પણ આ અકસ્માતમાં ઝપટે ચડતા બસના ડ્રાઇવર સહિત ૧૦થી વધુને લોકોને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ચોટીલા નજીકના બોરીયા નેસ મોલડી પાસે આજે સવારે મોરબી ડેપોની વવાણીયા ચોટીલા રૂટની એસ.ટી. બસ, બે ટેન્‍કર, અને એક ટ્રક સહિત પાંચ વાહનો વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્‍યકિતનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું.

વધુમાં મોરબી એસટી ડેપો મેનેજરના જણાવ્યા મુજબ આ ઘટનામાં બસ ડ્રાઇવર રીંકુંભાઈ લગધીરભાઈને ઇજા પહોંચી હતી જ્યારે અન્ય મુસાફરોને બહુ ઇજા ન થઈ હોવાનું જણાવ્યું હતું જો, કે અન્ય ૧૦ વ્‍યકિતઓને ઇજા થતાં ચોટીલા સારવારમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

 

- text