મોરબી : સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો

- text


છ દાયકાથી વધુ પ્રમુખ તરીકે સેવા આપ્યા બાદ હવે વૃધ્ધાવસ્થાના કારણે લીધી નિવૃત્તિ

મોરબી : મોરબી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ગોકળદાસભાઈ પરમારે સંસ્થાના પ્રમુખપદે  છ દાયકાથી વધારે સમય સુધી રહીને સતવારા જ્ઞાતિ માટે અનેક સેવાકાર્યો નિઃસ્વાર્થભાવે કર્યા છે. તેઓ વૃદ્ધાવસ્થાને પગલે સ્વેચ્છાએ રાજીનામું આપતા તેઓનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

- text

મોરબી સતવારા નવગામ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ્ઞાતિ પ્રમુખ ગોકળદાસભાઈ પરમારનો નિવૃત્તિ સન્માન સમારોહ જ્ઞાતિના પ્રમુખ ડો લખમણભાઈ કણઝારીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જે સમારોહમાં અતિથી વિશેષ તરીકે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, સમસ્ત સતવારા મહામંડળના પ્રમુખ નરશીભાઈ રાઠોડ, સમસ્ત સતવારા સમાજ ચેરી ટ્રસ્ટ હરિદ્વારના પ્રમુખ માવજીભાઈ નકુમ અને વિરમગામ સિદ્ધનાથ મહાદેવ ટ્રસ્ટના પ્રમુખ રમણલાલ દલવાડી ઉપસ્થિત રહ્યા હતા.

નિવૃત્તિ સન્માન સમારોહમાં નિવૃત થયેલ જ્ઞાતિ પ્રમુખ ગોકળદાસભાઈ પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેને વર્ષો સુધી સતવારા સમાજની જે સેવા કરી છે તે કામગીરીને બિરદાવવામાં આવી હતી.

 

- text