હાર્દિકના સમર્થનમાં લજાઈમાં પાટીદારો દ્વારા અનસન

- text


મુખ્ય બે માંગણી ન સંતોષાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવા જાહેરાત

ટંકારા : અમદાવાદ ખાતે છેલ્લા પાંચ દિવસથી ઉપવાસમાં બેઠેલા પાસ કન્વીનર હાર્દિક પટેલના સમર્થનમાં આજે ટંકારા તાલુકાના લજાઈ ગામે પાટીદાર યુવાનો અને વડીલો ઘરણા પર બેસી હાર્દિક પટેલને ખુલ્લુ સમર્થન આપતા પાટીદાર અનામત આંદોલન વધુ તેજ બની રહયા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

અમદાવાદ ખાતે ૨૫ ઓગસ્ટથી પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ પોતાના ઘરે જ ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે પાટીદાર સમાજને અનામત આપવાની અને ખેડૂતોના દેવા માફ કરવાની મુખ્ય બે માંગણી પૂરી ન થાય ત્યાં સુધી અનસન ચાલુ રાખવાની જાહેરાત પછી સરકાર દ્વારા હાર્દિક પટેલને કોઈ મળી ન શકે તેઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોવાથી હાર્દિક પટેલે તમામ પાટીદાર સમાજના યુવાનોને પોતાના ગામમાં જ ઘરણા કરવાની સૂચના આપતા આજે ટંકારા તાલુકાના લજાઈ ગામે અંબાજી માતાજીના મંદિરે ૩૦ થી ૩૫ યુવાનો વડીલો ઘરણા પર બેસી ગયા હતા અને હાર્દિક પટેલને સમર્થન કર્યું હતું.

- text

 

- text