મોરબીના સીરામીક ઉધોગકારોને આજે અપૂર્વમુનિ સ્વામી પાથ ઓફ પ્રોગ્રેસ વિષય પર વક્તવ્ય આપશે

- text


પ્રતિષ્ઠિત પ્રેરણા સમારોહમાં પૂ. અપૂર્વમુનિ સ્વામી ઉદ્યોગકારોને ઉધોગના પડકારો અને સાંસારીક જીવનમાં આવતી મુશ્કેલીઓ અંગે માર્ગદર્શન આપશે

મોરબી : મોરબીના શનાળામાં આવેલ પટેલ સમાજવાડી ખાતે આવતીકાલે બુધવારે સીરામીક ઉદ્યોગકારોની હાજરીમાં પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવ અંતર્ગત પ્રતિષ્ઠિત પ્રેરણા સમારોહ યોજવામાં આવશે. જેમાં પૂ. અપૂર્વમુનિ સ્વામી પાથ ઓફ પ્રોગ્રેસ વિષય પર પ્રેરક વક્તવ્ય આપશે.

સંતવિભૂતિ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, રાજકોટ તથા મોરબી દ્વારા પ્રતિષ્ઠિત પ્રેરણા સમારોહનું શનાળામાં આવેલ પટેલ સમાજ વાડી ખાતે કાલે બુધવારે સાંજે ૮ થી ૧૦:૩૦ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂ. અપૂર્વમુનિ સ્વામી પાથ ઓફ પ્રોગ્રેસ વિષય પર પ્રેરક વક્તવ્યનો લાભ આપશે.

- text

આ વક્તવ્યમાં વર્તમાન ઉધોગના પડકારો અને સાંસારીક જીવનમાં આવતી મુશ્કેલીઓમા તેમજ વેપારની વર્તમાન સ્થિતમા કઇ રીતે બેલેન્સ કરીને સારી રીતે નફા સાથે વેપાર પણ કરી અને સાંસારીક જીવનમાં પણ જીવનના અમુલ્ય ગુણો થકી પરીવાર તેમજ વેપારમા સફળતાના નવી ઉંચાઈઓ સર કરાવી તે અંગે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમ ફક્ત આમંત્રીત મહેમાનો માટે જ રાખેલ છે.

કાર્યક્રમને સફળ બનાવા મોરબી સીરામીક એસો.ના પ્રમુખો મુકેશ નરશીભાઈ ઉધરેજા,નિલેશ મહાદેવભાઈ જેતપરીયા અને કિશોર અમરશીભાઇ ભાલોડીયા સહિતના આગેવાનોએ ભારે જેહમત ઉઠાવી છે.

- text