જલારામ મંદિર દ્વારા સોમવારે બિનવારસી મૃતદેહોના અસ્થિઓનું વિસર્જન કરાશે

- text


અસ્થિઓનું શાસ્ત્રોક્ત વિધી મુજબ સામૂહીક વિસર્જન કરવામા આવશે

મોરબી : રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત જલારામ પ્રાર્થના મંદીર દ્વારા આગામી તા. ૨૩ ને સોમવારના રોજ બીનવારસી મૃતદેહના અસ્થિ વિસર્જન ઉપરાંત જે કોઈ વ્યક્તિઓ પોતાના દીવગંત સ્વજનોના અસ્થિ વિસર્જન કરી શકે તેમ ન હોય તેવા દીવગંતો ના અસ્થિ નુ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમ મા શાસ્ત્રોક્ત વિધી મુજબ અસ્થિ વિસર્જન કરવા મા આવે છે.

જલારામ મંદિર દ્વારા આ વર્ષે તા.૨૨ ને રવિવારના રોજ શહેરના દરેક સ્મશાનેથી અસ્થિઓ એકત્રીત કરી લીલાપર રોડ સ્થિત વિદ્યુત શ્મશાન ખાતે લાવવામા આવશે જ્યાં શાસ્ત્રોક્ત વિધી કર્યા બાદ સંસ્થાના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થશે ત્યાર બાદ તા. ૨૩-૭-૨૦૧૮ સોમવારના રોજ પવિત્ર ત્રિવેણી સંગમમા હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ અસ્થિ વિસર્જન કરવા મા આવશે.

- text

આ ભગીરથ કાર્ય મા ટ્રસ્ટ ના પ્રમુખ ગીરીશ ભાઈ ઘેલાણી, હીતેશ જાની, ચિરાગ રાચ્છ, ફીરોઝ ભાઈ, ભાવિન ઘેલાણી, નિર્મિત કક્કડ ,દીનેશ સોલંકી, રાજુ ભાઈ ગણાત્રા, વિપુલ પંડીત, બદ્રી પ્રસાદ અગ્રાવત સહીતના અગ્રણીઓ જોડાશે.

સંસ્થા દ્વારા મોરબી શહેરના દરેક સ્મશાનમા સંસ્થાનો અસ્થિ કુંભ મુકવામા આવેલ છે, જે કોઈ વ્યક્તિઓ પોતાના દીવંગત સ્વજનોના અસ્થિ વિસર્જીત કરી શકેલ ન હોય તેઓ એ તા. ૨૧-૭ શનિવાર સુધી મા અસ્થિઓ કુંભમા મુકી જવા જલારામ સેવા મંડળ પ્રમુખ નિર્મિત કક્કડ ની યાદી મા જણાવાયુ છે.

ફાઈલ ફોટો

- text