- text
મોરબી : મોરબીના બેલા ગામે પરિણીતાએ કોઈ કારણસર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના બેલા ગામે રાધે મિનરલ કારખાનામા રહેતા રાધાબેન પ્રકાશભાઈ હજનાળ ઉ.વ.૨૧ નામની પરિણીતાએ આજે પોતાની ઓરડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને પરિણીતાએ કયા કારણોસર આપઘાત કર્યો તે જાણવા માટે તપાસ હાથ ધરી છે.
- text
- text