વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે મોરબીમાં સાયકલ રેલી યોજાઈ

- text


મોરબી : ગુરુવારે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે મોરબીમાં સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું . સવારે ૭ કલાકે નવા બસ સ્ટેન્ડ નજીક આવેલા સ્વામીનારાયણ મંદિર પાસેથી સાયકલ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ સાયકલ રેલીમાં મોરબીના અનેક આગેવાનો અને ડોકટરો જોડાયા હતા.

સ્વામિનારાયણ મંદિરે થી શરૂ થયેલી આ સાયકલ રેલી રાજમાર્ગો પર ફરીને નવા બસ સ્ટેન્ડ નજીક આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાં પાસે પૂર્ણ થઇ હતી. આ સાયકલ રેલી થકી પ્રદુષણ અટકાવો ,પયાઁવરણ જાળવો, પાણી બચાવો, પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવો , પ્રકૃતિનું જતન કરો, તંદુરસ્તી જાળવો વગેરેનો સંદેશો જન જન સુધી પહોંચાડવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં ડોકટરો, વકીલો, સંકુલ સંચાલકો, સામાજિક આગેવાનો, પ્રકૃતિ પ્રેમીઓ અને ખાસ તો સાયકલ પ્રેમીઓ જોડાયા હતા. જેમાં નાના બાળકોથી માંડી વૃદ્ધ સાયકલવીરો આ રેલીમાં વિવિધ બેનરો સાથે સાયકલ ચલાવી લોકોને સાયકલ ચલાવવા જાગૃત કાર્ય હતા.

- text

 

- text