પંચાસર હત્યા કેસના ૨ આરોપીઓ જેલહવાલે : ૪ વધુ બે દિવસના રિમાન્ડ પર

- text


મોરબી : મોરબીના પંચાસર ગામે ગરાસિયા આધેડની ફાયરિંગ કરી હત્યા કરી નાખી મહિલા સહિત બે વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવાના ગંભીર ગુનામાં રિમાન્ડ પર રહેલા ૬ આરોપી પૈકી ૨ ને કોર્ટે જેલહવાલે કર્યા છે. જ્યારે બાકીના ચાર આરોપીઓને વધુ બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નજીક આવેલ પંચાસર ગામે  જમીનમાંથી માટી ભરવા મામલે થયેલી તકરારમાં ૬ શખ્સોએ આડેધડ ફાયરિંગ કરી સહદેવસિંહ તેજુભા ઝાલા ઉ. ૪૮ ઝાલાની હત્યા કરી હતી પોલીસે ૬ આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા આરોપીઓની ૩ દિવસની રિમાન્ડ મંજુર થઈ હતી.

- text

ત્રણ દિવસની રિમાન્ડ બાદ કોર્ટે રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા અને વિક્રમસિંહ નાથુભા ઝાલાને જેલહવાલે કર્યા છે. જ્યારે બાકીના ૪ આરોપી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા,સહદેવસિંહ લાલુભા ઝાલા, હિતુભા લાલુભા ઝાલા અને અરવિંદસિંહ નટુભા ઝાલાને વધુ ૨ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

- text