વાંકાનેર નજીક દર્શન કરી પરત ફરતા પરિવારને અકસ્માત : વૃદ્ધાનું મોત

- text


સીએનજી રિક્ષાની બ્રેક ફેઈલ થતા અકસ્માત સર્જાયો

વાંકાનેર : વાંકાનેરના સિંધાવદર નજીક દશામાંના દર્શન કરી પરત ફરી રહેલ રબારી પરિવારની રિક્ષાને અકસ્માત નડતા વૃદ્ધાનું મૃત્યુ નીપજ્યું હતું.

જણવા મળતી વિગતો મુજબ રામભાઇ લક્ષ્મણભાઇ કલોત્રા ઉ.૩૨ રહે. નવલખી રોડ ફાટક પાસે લાયન્સ નગર લાયન્સ સ્કુલ ની બાજુ માં મોરબી વાળાએ વાંકાનેર પોલીસ મથકમાં સી.એન.જી. રીક્ષા રજી નં જી.જે. ૩ એ.એકસ ૭૬૦૯ ના ચાલક હરેશભાઇ ભવાનભાઇ ભાંગરા જાતે રબારી રહે. મોરબી કાલીકા પ્લોટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text

ફરિયાદમાં જણાવ્યા મુજબ રીક્ષા નં જી.જે. ૩ એ.એકસ ૭૬૦૯ ના ચાલકે પોતાના હવાલા વાળી સી.એન.જી રીક્ષા લઇ સીંધાવદર ખાતે દશામાના મંદીરે થી પરત મોરબી આવતા હતા ત્યારે સીંધાવદર પાસે ગાત્રાળ નગર સામે રોડ પર તેની રીક્ષા ની બ્રેક અચાનક ફેઇલ થઇ જતા રીક્ષા રોડ પર થી નીચે ઉતરી જતા રીક્ષા માં બેઠેલ ફરીયાદીના માતા સોમીબેન લક્ષ્મણભાઇ કલોત્રા જાતે રબારી ઉવ ૬૦ વાળા રીક્ષા માથી પડી જતા ઇજા થતા તથા સાહેદ હરખુબેન ભવાનભાઇ ભાંગરા તથા પોતાને સામાન્ય ઇજા પહોચાડી પ્રથમ સારવાર સ.હો વાંકાનેર બાદ વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે રીફર થતા સારવાર દરમ્યાન સોમીબેન લક્ષ્મણભાઇ કલોત્રા નું મોત નીપજયું હતું.

ઘટના અંગે વાંકાનેર પોલીસે સીએનજી રીક્ષા ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

- text