મોરબીમા ૧૩મીએ અંધ-અપંગ ગૌશાળાના લાભાર્થે બાળ કલાકારો દ્વારા શ્રીનાથજીની ઝાંખી

- text


મોરબી ગૌ સેવક મિત્ર મંડળ દ્વારા અનેરૂ આયોજન

મોરબી : મોરબીમાં આગામી તા.૧૩ ને શનિવારના રોજ બાળ કલાકારો દ્વારા શ્રીનાથજીની ઝાંખી કાર્યક્રમ યોજવામાં આવનાર છે.

ઉતરાયણ ના પર્વ નિમિતે દાન પુણ્ય નો અનેરો મહીમા હોય છે ત્યારે શહેર ના ગૌસેવક મિત્ર મંડળ દ્વારા અંધ અપંગ ગૌશાળા ના લાભાર્થે આગામી તા.૧૩ ને શનીવારના રોજ રાત્રે ૯ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન વસંત પ્લોટ ખાતે શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ છે. જેમા રાજકોટ ના પ્રખ્યાત પનઘટ કલાવૃંદના બાળ કલાકારો શ્રીનાથજીની ઝાંખીનુ રસપાન કરાવશે.

- text

જેથી મોરબી શહેરની તમામ ધર્મ પ્રેમી જનતા ને આ કાર્યક્રમમાં ઉપસ્થીત રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

- text