પુણ્યતિથિ નિમીતે દિવ્યાંગ બાળકોને નાસ્તો કરાવી નોટબુક,પેન્સિલ ભેટ અપાઈ

- text


ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામના શિક્ષકે પોતાના દાદાજીની પુણ્યતિથિ નિમીતે દિવ્યાંગ બાળકોને નાસ્તો કરાવી શૈક્ષણિક કીટની ભેટ આપી ગૌમાતાને લીલોચારો નાખ્યો હતો.

- text

ટંકારા તાલુકાના હડમતિયાના ભાવેશભાઈ મનજીભાઈ, પ્રવિણભાઈ મગનભાઈ મેરજા(નાલંદા શિક્ષક) તેમજ જીવરાજભાઈ ખીમજીભાઈ મેરજાઅે પોતાના દાદાજીની પુણ્યતિથિ નિમિતે માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત “શ્રી માઁ મંગલમુર્તિ દિવ્યાંગ બાળકોની સ્કુલ- મોરબી ” શાળામાં આશરે ૫૦-૬૦ દિવ્યાંગ બાળકોને સુકો નાસ્તો તેમજ નોટબુક, પેન્સિલ,રબ્બર,ઈરેજર તેમજ ગૌમાતાને લીલોચારો નાખીને પુણ્યાત્મા દાદાજીની આત્માને શાંતિ મળે અને આવા માનવહિતના કાર્યને વેગ મળે તે હેતુથી આ દાન કરવામા આવ્યુ હતું

- text