બગથળા નકલંક જગ્યામાં ૨૦મીએ સંતવાણી-અન્નકૂટ દર્શન

- text


મોરબી:મોરબી તાલુકાના બગથળા ગામે આવેલ નકલંક મંદિર ખાતે આગામી તા.૨૦ને શુક્રવારે પડવાના દિવસે ભવ્ય અન્નકૂટ દર્શન અને સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ બગથળા ગામે આવેલ પ્રસિદ્ધ નકલંક મંદિર ખાતે દરવર્ષની જેમ આ વરસે પણ ભવ્ય અન્નકૂટ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.દિવાળી પડવાના દિવસે યોજનાર આ શુભ પ્રસંગે રાત્રે પ્રખ્યાત ભજનિક નિરંજનભાઈ પંડ્યાના ભજન અને સંતવાણીનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
આથી ધર્મપ્રેમી જનતાને આ સંતવાણી,અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદ કાર્યક્રમનો લાભવલેવા નકલંક જગ્યાના મહંત દામજીભાગત અને સમસ્ત બગથળા ગામ સમસ્ત દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text