મોરબી : ૨૩મીએ ચાલીયા સાહેબની શોભાયાત્રા

- text


સિંધી સમાજ દ્વારા ચાલીયા સાહેબના પુર્ણાહુતી પ્રસંગે અનેક વિધ કાર્યક્રમોનું આયોજન

મોરબી : આગામી તારીખ ૨૩ને બુધવારના રોજ મોરબીના સિંધી સમાજ દ્વારા ચાલીયા સાહેબની પુર્ણાહુતી પ્રસંગે શોભાયાત્રા સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સિંધી સમાજ મોરબીની યાદીમાં જણાવ્યા મુજબ તા.૨૩ ને બુધવારના રોજ ચાલીયા સાહેબની પુર્ણાહુતી પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જેમાં સવારે ૮.૩૦ કલાકે પૂજાવિધિ,સવારે ૧૧.૩૦ થી ૨.૩૦ ભંડારો પ્રસાદ અને બાદમાં બપોરે ૩ વાગ્યે શોભાયાત્રાનું આયોજન કરાયું છે.
બપોરે 3 વાગ્યાથી સિંધુભાવન રેલવે સ્ટેશનરોડ થી શોભાયાત્રા નીકળશે જે નવલખી ફાટક થઈ રોકડીયા હનુમાનમંદિર પહોંચશે જ્યાં પંજડા આરતી અને પલવ સાહેબનું આયોજન કરાયું છે બાદમાં રાત્રે રોકડીયા હનુમાન મંદિર ખાતે જ્યોત સાહેબ દરિયા પરવાન અને મહાપ્રસાદ નું આયોજન કરાયું હોય તમામ સિંધીભાઈઓને બપોર બાદ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ કાર્યક્રમમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.

- text

- text