27 જુલાઈથી મોરબી જિલ્લામાં નર્મદા મહોત્સવ યાત્રા

- text


શહેરના વોર્ડ-1 થી નર્મદા યાત્રા શરુ કરાશે

મોરબી:રાજય સરકાર દ્વારા આગામી 27 જુલાઈ થી માં નર્મદા મહોત્સવ યાત્રા ઉજવવા નક્કી કરતા મોરબી જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારી શરુ કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમા ઉજવવામાં આવનાર માં નર્મદા મહોત્સવ યાત્રા અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી શહેરના વોર્ડ-1 થી યાત્રા શરુ કરવામાં આવશે જે 5 ઓગષ્ટ સુધીમાં જિલ્લાભરમાં ઘૂમી વળશે. નર્મદા મહોત્સવ યાત્રાને સફળ બનાવવા જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની આગેવાની હેઠળ સમગ્ર જિલ્લા ભાજપ પરિવાર તૈયારી કરી રહ્યો હોવાનું મીડિયા ઇન્ચાર્જ વિજય લોખિલની યાદીમાં જણાવાયું છે.

- text

- text