મોરબી : રફાળેશ્વર ગામનાં વિકાસ પ્રશ્નોને લઈ તંત્ર એક્શનમાં

- text


ટીડીઓએ સરપંચ અને તલાટી મંત્રીને યોગ્ય પગલા ભરવા સૂચવ્યું

મોરબીના રફાળેશ્વર ગામે વિકાસ પ્રશ્નો અંગે ગ્રામજનોએ ડી.ડી.ઓ.ને રજૂઆત કરી હતી. જેના પરિણામ સ્વરૂપે ટીડીઓએ રફાળેશ્વરના પાણી સહિતની સુવિધાઓના પ્રશ્ને યોગ્ય આયોજન કરવાની સરપંચ અને તલાટીને તાકિદ કરી છે.
રફાળેશ્વર ગામનાં ખોડાભાઈ જગાભાઈ પાંચીયા તથા ગામની મહિલાઓએ થોડા દિવસ પહેલા ડી.ડી.ઓ.ને રજૂઆત કરી હતી કે, રફાળેશ્વર ગામમાં વિકાસનાં કોઈ કામ કરવામાં આવતા નથી. તેમજ છેલ્લા ઘણાં દિવસોથી પાણીની ગંભીર સમસ્યા છે. અને લોકોને આવકના દાખલા કાઢવામાં મુશ્કેલી પડે છે. તે સમયે ડી.ડી.ઓ.એ શાંતિથી રજૂઆત સાંભળીને ટી.ડી.ઓ.ને આ બાબતે યોગ્ય પગલાં ભરવાનું ફરમાન કર્યું હતું. ત્યારે ટી.ડી.ઓ.એ જાંબુડિયા ગ્રામપંચાયતના સરપંચ અને તલાટી મંત્રીને કડક સૂચના આપી છે કે, રફાળેશ્વર ગામ લોકોની સગવડતા માટે તલાટી મંત્રીને અઠવાડિયામાં એક દિવસ હાજર રહી લોકોનાં સામાન્ય પ્રશ્નો સ્થળ પર નિકાલ થાય તેવું આયોજન કરવું તેમજ આવકના દાખલા માટે યોગ્ય આયોજન વ્યવસ્થા કરવી તેમજ પીવાના પાણી માટે ગ્રામપંચાયતના સ્વભંડોળમાંથી પાણીનો ટાંકો અને પાણીની પાઇપલાઇનના કામો તાત્કાલિક મંજૂર કરી ૨ માસમાં પૂર્ણ કરવા અને ભૂર્ગભગટર, સીસીરોડ, સ્ટ્રીટલાઇટની કામગીરી માટે યોગ્ય જોગવાઈ કરવા અને આ બાબતનો રિપોર્ટ તાલુકા પંચાયત કચેરીને કરવાની સૂચના આપી છે.⁠⁠⁠⁠

- text

- text