મોરબી : શ્રી વિશ્વાકર્મા લુહાર જ્ઞાતિ દ્વારા નોટબુક વિતરણ

- text


મોરબી : શ્રી વિશ્વાકર્મા લુહાર જ્ઞાતિ મોરબી દ્વારા છેલ્લાં સાત વર્ષથી વિદ્યાર્થીઓને ફ્રી નોટબુક વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ ૫૦૦૦ નોટબુક ૪૮૦ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યને સફળ બનાવવા માટે શિક્ષણમાં કાર્યરત પરેશભાઈ પઢારિયા, યુવક મંડળનાં સભ્ય જીતુભાઈ રાઠોડ, દીપકભાઈ પિત્રોડા, જીજ્ઞેશભાઈ મકવાણા અને રાઠોડ મનસુખભાઈ તથા મહેતાજીએ જહેમત ઉઠાવી હતી.

- text