મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર દ્વારા સાતમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે

- text


11 મેના રોજ 21 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે

મોરબી : મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલા આસ્થા અને શ્રદ્ધાના પ્રતિકસમા શ્રી ધકકાવાળી મેલડી માતાજીના મંદિર દ્વારા સાતમા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન આગામી તારીખ 11 મે ને શનિવારના રોજ કરવામાં આવ્યું છે.

આ સમૂહ લગ્ન 11 મેના રોજ સાંજે 7-15 કલાકે મોરબીના નવલખી રોડ પર રોકડીયા હનુમાનજી મંદિરની બાજુમાં આવેલા બહુચર પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. આ સમૂહલગ્નમાં 21 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે. સમૂહલગ્નની વિધિ જાણીતા આચાર્ય શાસ્ત્રી હિરેનભાઈ પી. પંડ્યા દ્વારા કરાવવામાં આવશે. આ સમૂહલગ્નનો તમામ ખર્ચ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા ઉપાડવામાં આવશે. શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરની આવકમાંથી સમુહલગ્નો, સાર્વજનિક દવાખાનું, વિધાર્થીઓને નોટબુક, પુસ્તક વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિ સેવાભાવી આયોજકો દ્વારા કરવામાં આવે છે. આ સાતમાં સમૂહલગ્નને સફળ બનાવવામાં સમિતિના ઘનુભા જાડેજા, શૈલેષભાઇ જાની, વિનુભાઈ ડાંગર, રઘુવીરસિંહ ઝાલા, રમેશભાઈ પટેલ, ધીરુભા જાડેજા, ભાવેશભાઈ મહેતા સહિતના યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text

- text