મોરબીના પાનેલીમાં વાહકજન્ય રોગ અટકાવવા કામગીરી કરાઈ

- text


મોરબી : મોરબી તાલુકાના પાનેલી ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી દ્વારા જુદા જુદા આશા વર્કર બહેનોના સહયોગથી વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં હાઉસ ટૂ હાઉસ સર્વેલન્સ કરી ઘરોમાં તેમજ બહારના વિવિધ સ્થળો પર ભરાયેલા બિનજરૂરી પાણી દૂર કરવા તથા લોકોને વાહક જન્ય રોગ નિયંત્રણ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

- text

રાજ્ય સરકારના આદેશ અનુસાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ધીરેન મહેતા થતા જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વિપુલ કરોલીયાની સૂચના અનુસાર પ્રા.આ.કે. ના મેડિકલ ઓફિસર ડો. દર્શન ખત્રી થતા સુપેરવાઈઝર દીપકભાઈ વ્યાસના માર્ગદર્શન અનુસાર આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાણીયા, સોનલબેન શિયાળિયા, ભાવનાબેન ચાવડા ફિલ્ડ આરોગ્ય કાર્યકર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા કેસ ડેફીનેશન મુજબ કેસોની શોધખોળ કરી લોહીના નમુના લેવા તેમજ વાહક નિયંત્રણમાં મચ્છર ઉત્પતિના બધા સંભવિત સ્થળોની તપાસની કરી પોરાનાશક કામગીરી, બિનજરૂરી પાણીના પાત્રો ખાલી કરાવ્યા હતા તથા પક્ષી કુંડ નિયમિત રીતે સાફ કરવા, ઘરોની અંદર તેમજ બહાર જે સ્થળો પાણી ભરાયેલ છે તેની ચકાસણી કરી બિનઉપયોગી પાત્રોમાં ભરાયેલ પાણી દુર કરી અને ઉપયોગી પાણીમાં ટેમીફોસ જૈવિક નિયંત્રણ કામગીરી કરવામાં આવી હતી.

- text