મોરબી જીલ્લાના કલાકારો સોમનાથમાં ઝળક્યા, ‘પ્રભાસોત્સવ’ માં પોતાની કૃતિઓથી લોકોને કર્યા મંત્રમુગ્ધ

- text


મોરબી: સોમનાથમાં યોજાયેલા 16 માં ‘પ્રભાસોત્સવ’ કાર્યક્રમમાં ગુજરાતના 20 જિલ્લાઓના 362 કલાકારો ભાગ લઈને 50 જેટલી કૃતિઓ રજુ કરી હતી. આ પ્રસંગે મોરબી જીલ્લા સંસ્કાર ભારતી દ્વારા આ પ્રભાસોત્સવમાં કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

જેમાં મોરબીના આદ્યશક્તિ ગ્રુપ, સાર્થક વિદ્યામંદિર, કોરિયોગ્રાફર રવિરાજ પૈજા દ્વારા તૈયાર થયેલી પ્રસિદ્ધ પ્રાચીન ગરબાની કૃતિ તેમજ સંસ્કાર ભારતી મોરબી જીલ્લાના મહામંત્રી પ્રાણલાલ પૈજા ગ્રુપ દ્વારા લોકગીત /ભજનની કૃતિ અને સંગીત વિશારદ ભાર્ગવ દવે દ્વારા શાસ્ત્રીય ગાયનની કૃતિની પ્રસ્તુતિ કરાઇ હતી.

ત્રિવેણી રોડ પર આવેલા સોમનાથ ટ્રસ્ટના રામમંદિર ઓડિટોરીયમ પ્રભાસ પાટણ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના આર્થિક સહયોગથી સોમનાથ ટ્રસ્ટ અને સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા સમરસતા થીમ પર આ કાર્યક્રમ યોજાયો હતો. આવી કલાત્મક એકતાને જીવંત કરવા રાષ્ટ્રના વિવિધ ક્ષેત્રના કલા સાધકો શાસ્ત્રીય સંગીત, શાસ્ત્રી નૃત્ય, ભક્તિ સંગીત, લોકસાહિત્ય, લોકસંગીત અને લોકનૃત્યની ઉત્તમ કલાની પ્રસ્તુતિ દ્વારા ભારતીય કલાઓનું મંચન કરાયું હતું.

- text

- text