- text
આખલાઓનો ત્રાસથી વાહનોને નુકશાન, અકસ્માતનો ભય વધ્યો
મોરબી : મોરબી શહેરમા આખલા યુદ્ધના દ્રશ્યો કાયમી બન્યા છે ત્યારે શહેરના શનાળા બાયપાસ વિસ્તારમાં આવેલા અમી પેલેસ એપાર્ટમેન્ટ પાસે ગુરુવારે સવારે આખલા યુદ્ધ જામતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.
મોરબીના આખલા યુદ્ધ કાયમી બન્યું છે અને રઝળતા ઢોરના ત્રાસને કારણે લોકોના વાહનોને નુકશાન થઇ રહ્યા છે ત્યારે નગરપાલિકા તંત્ર સમસ્યાનું કાયમી નિરાકરણ કરતું નથી આ સંજોગોમાં ગુરુવારે સવારે શનાળા બાયપાસ વિસ્તારમાં આખલા યુદ્ધ જામતા લોકોમાં ભયનું મોજું પ્રસરી ગયું હતું.
- text
- text