સેમ ધ બ્રેવ : જનરલ માણેકશા એ ઈન્દીરા ગાંધીને ‘મેડમ’ કહવાનો ઇનકાર કરી દીધો હતો

દેશના પહેલા ફિલ્ડ માર્શલ સેમ માણેકશા પર આધારિત હતી ફિલ્મ ‘સેમ બહાદુર’

બાંગ્લાદેશના નિર્માણને લઈને હંમેશા યાદ રહેશે ફિલ્ડ માર્શલ સામ માણેકશા

મોરબી : જનરલ માણેકશાને માટે દરેક દેશવાસીને ગૌરવ છે. તેઓ સેમ બહાદુર તરીકે જાણીતા હતા અને તેઓ ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી મેળવનારા પ્રથમ ભારતીય સેના અધિકારી હતા. ભારતીય સેનાના ફિલ્ડ માર્શલ સામ માણેકશાને બાંગ્લાદેશના નિર્માણને લઈ હંમેશા યાદ રાખવામાં આવી રહ્યા છે.

સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશાનો જન્મ ૩ એપ્રિલ, ૧૯૧૪ના રોજ થયો હતો, જે સામ માણેકશા અને સેમ બહાદુર (“સેમ ધ બ્રેવ”) તરીકે વ્યાપકપણે જાણીતા હતા. તેઓ ઇ.સ. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના આર્મી સ્ટાફના વડા હતા અને ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી મેળવનારા ભારતીય સેનાના પ્રથમ અધિકારી હતા. તેમની સક્રિય લશ્કરી કારકિર્દી ચાર દાયકા અને પાંચ યુદ્ધો સુધી ફેલાયેલી હતી, જેની શરૂઆત બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ ભારતીય સેનામાં સેવાથી થઈ હતી.

સામ માણેકશાનો જન્મ અમૃતસર શહેરમાં એક પારસી પરિવારમાં થયો હતો. એમનો પરિવાર ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ શહેરમાંથી પંજાબ રાજ્યમાં આવી ગયો હતો. માણેકશાએ પ્રારંભિક શિક્ષણ અમૃતસર ખાતે મેળવ્યું હતું, ત્યારબાદ તેઓ નૈનીતાલ શહેર ખાતે શેરવુડ કૉલેજમાં દાખલ થયા હતા. તેઓ દેહરાદૂન ખાતે ઇંડિયન મિલિટ્રી એકેડમીની પહેલા બેચ માટે પસંદગી પામેલા કુલ ૪૦ છાત્રો પૈકીના એક હતા. ત્યાંથી તેઓ કમીશન પ્રાપ્તિ થયા બાદ ભારતીય સેનામાં ભરતી થયા હતા.

ઇ.સ. ૧૯૩૭માં એક સાર્વજનિક સમારોહમાં ભાગ લેવા માટે લાહોર ગયેલા સામની મુલાકાત સિલ્લો બોડે સાથે થઈ હતી. બે સાલ જેટલા સમય ચાલેલી આ દોસ્તી ૨૨ એપ્રિલ, ૧૯૩૯ ના રોજ વિવાહમાં પરિણમી હતી. તેમને ઇ.સ. ૧૯૬૯માં તેમણે સેનાધ્યક્ષ બનાવવામાં આવ્યાં હતાં. ઇ.સ. ૧૯૭૩માં તેમણે ફીલ્ડ માર્શલનું સન્માન પ્રદાન કરાયું હતું.

ઇ.સ. ૧૯૭૩માં સેના પ્રમુખના પદથી સેવાનિવૃત્ત થયા બાદ તેઓ વેલિંગટનમાં વસી ગયા હતાં. વૃદ્ધાવસ્થામાં તેમને ફેફસા સંબંધી બિમારી થઈ ગઈ હતી અને તેઓ કોમામાં ચાલ્યાં ગયા હતા. તેમનું મૃત્યુ ૨૭ જૂન, ૨૦૦૮ના રોજ વેલિંગટનના સૈન્ય રુગ્ણાલયના આઈસીયુમાં રાત્રે ૧૨.૩૦ વાગ્યે થયું હતું.


સૈન્ય કારકિર્દી

૧૭મી ઇન્ફેંટ્રી ડિવીઝનમાં તૈનાત સૅમે પહેલી વાર દ્વિતીય વિશ્વ યુદ્ઘમાં યુદ્ધનો સ્વાદ ચાખ્યો, ૪-૧૨ ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટના કેપ્ટન પદે બર્મા (બ્રહ્મદેશ) અભિયાન દરમિયાન સેતાંગ નદીના તટ પર જાપાનીઓથી યુદ્ધ લડતા લડતાં તેઓ ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા હતાં.


સ્વસ્થ થતા માણેકશા પહેલાં સ્ટાફ કૉલેજ ક્વેટા, પછી જનરલ સ્લિમ્સની ૧૪મી સેનાના ૧૨ ફ્રંટિયર રાઇફલ ફોર્સમાં લેફ્ટિનેંટ બની બર્માના જંગલોમાં ફરી એક વાર જાપાનીઓ સાથી દ્વંદ્વ કરવા જઈ પહોંચ્યા. અહીં તેઓ ભીષણ લડ઼ાઈમાં ફરી ખરાબ રીતે ઘાયલ થયા, દ્વિતીય વિશ્વયુદ્ઘ પૂર્ણ થયા બાદ સૅમને સ્ટૉફ આફિસર બનાવી જાપાનીઓના આત્મસમર્પણ માટે ઇંડો-ચાયના મોકલવામાં આવ્યાં, જ્યાં તેમણે લગભગ ૧૦૦૦૦ યુદ્ઘબંદિઓના પુનર્વસનમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

વર્ષ ૧૯૪૬માં તેઓ ફર્સ્ટ ગ્રેડ સ્ટાફ ઑફીસર બની મિલિટ્રી આપરેશંસ ડાયરેક્ટ્રેટમાં સેવારત રહ્યાં, વિભાજન બાદ ઇ.સ. ૧૯૪૭-૪૮ ની કાશ્મીરની લડાઈમાં પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી. ભારતની આઝાદી બાદ ગોરખાની કમાન સંભાળવાવાળા તેઓ પ્રથમ ભારતીય અધિકારી હતાં. ગોરખાઓએ જ તેમને સૅમ બહાદુરના નામથી સૌથી પહેલા બોલાવવાની શરૂઆત કરી. બઢતીની સીડી ચઢ઼તા સૅમને નાગાલેંડ સમસ્યાને સુલઝાવવાના અવિસ્મરણીય યોગદાન માટે ઇ.સ. ૧૯૬૮માં પદ્મભૂષણથી પુરસ્કૃત કરાયા હતા.

૭ જૂન, ૧૯૬૯ ના સૅમ માનેક શૉ એ જનરલ કુમારમંગલમ પછી ભારતના ૮મા ચીફ ઑફ ધ આર્મી સ્ટાફનું પદ ગ્રહણ કર્યું, તેમના આટલા વર્ષોના અનુભવની પરીક્ષાની ઘડ઼ી ત્યારે આવી જ્યારે હજારોં શરણાર્થિઓ પૂર્વી પાકિસ્તાનથી ભારત આવવા લાગ્યાં. ડિસેમ્બર, ૧૯૭૧માં સૅમના યુદ્ઘ કૌશલ સામે પાકિસ્તાનની કરારી હાર થઈ તથા બાંગ્લાદેશનું નિર્માણ થયું, તેમના દેશપ્રેમ અને દેશ પ્રતિ નિ:સ્વાર્થ સેવાને અનુલક્ષી તેમને ઇ.સ. ૧૯૭૨માં પદ્મવિભૂષણ તથા ૧ જાન્યુઆરી, ૧૯૭૩ના ફીલ્ડ માર્શલના માનદ પદથી અલંકૃત કરવામાં આવ્યાં. ચાર દાયકાઓ સુધી દેશની સેવા કર્યા બાદ સૅમ બહાદુર ૧૫ જાન્યુઆરી, ૧૯૭૩ના રોજ ફીલ્ડ માર્શલના પદ થી સેવાનિવૃત્ત થયાં હતાં.


ઈન્દીરા ગાંધીને ‘મેડમ’ કહવાનો ઇનકાર કરી દીધો

માણેકશા ખુલીને પોતાની વાત કરવાવાળા વ્યક્તિ હતાં. તેમણે એક વાર તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીને ‘મૈડમ’ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે આ સંબોધન ‘એક ખાસ વર્ગ’ માટે થાય છે. માણેકશા એ કહ્યું કે તેઓ તેમને પ્રધાનમંત્રી જ કહેશે.


સેમ બહાદુર મૂવી

દેશના પહેલા ફિલ્ડ માર્શલ સેમ માણેકશા પર ‘સેમ બહાદુર’ ફિલ્મ આધારિત હતી. મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત સેમ બહાદુર પીરિયડ ડ્રામામાં વિકી કૌશલ ઇ.સ. ૧૯૭૧માં પાકિસ્તાનને ધૂળ ચટાવનાર સેન્ય અધિકારી માણેકશાની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ ફિલ્મમાં વિકી કૌશલ ઉપરાંત સાન્યા મલ્હોત્રા, ફાતિમા સના શેખ અને મોહમ્મદ જીશાન અયુબ જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.