રાણેકપર પ્રાથમિક શાળામાં ધો.8ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાણેકપર પ્રાથમિક શાળા ખાતે ધો.8ના વિદ્યાર્થીઓના વિદાય માટેનો કાર્યક્રમ દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા ગીત, ડાન્સ અને વકતવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ તકે શાળા પરિવાર વતી તમામ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ધો. 8ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને અલગ-અલગ પ્રકારના માઈક આપી ઋણ ચૂકવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક નરેન્દ્રભાઇ કુબાવત દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં શાળા પરિવાર દ્વારા તમામ બાળકોને શિખંડપુરીનું ભોજન કરાવવામાં આવ્યું હતું.

- text