સનહાર્ટ ફાઉન્ડેશન દ્વારા સ્વર્ગસ્થની પુણ્યતિથિએ સરા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીના સનહાર્ટ ફાઉન્ડેશનના ગોવિંદભાઈ વરમોરા દ્વારા ગણેશબાપા વરમોરાની આઠમી પુણ્યતિથિ નિમિત્તે સરા ગામે રક્તદાન કેમ્પ અને સંતસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સરા ખાતે ગણેશબાપા વરમોરાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા રક્તદાને કેમ્પમાં 237 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. સંત સભામાં મોરબી સંસ્કારધામ થી પૂજ્ય સદગુરુ પ્રેમસ્વામી અને ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળથી સંતો પધાર્યા હતા. મહેમાનો અને સંતોએ અક્ષર નિવાસી ગણેશ બાપાના કાર્યોની પ્રશંસા કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. રક્તદાન કેમ્પ અને શ્રદ્ધાંજલિ સભાને સફળ બનાવવામાં ગોવિંદભાઈ નાનજીભાઈ વરમોરા, ભવાનભાઈ વરમોરા, કમલેશભાઈ કુણપરા તેમજ વરમોરા પરિવારના અને ગામના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. રક્તદાન કેમ્પના આયોજક ગોવિંદભાઈ વરમોરા અને રક્તદાતાઓનો તેમજ વરમોરા પરિવારનો સંસ્કાર બ્લડ બેન્કના પ્રેરક પ્રેમ સ્વામી અને રમેશભાઈ માકાસણાએ આભાર માન્યો હતો. મહત્વનું છે કે, ગોવિંદભાઈ વરમોરાનું સમૂહલગ્ન, સમાજસેવા, મંદિરો, દેરાસર, શિક્ષણ, હોસ્પિટલ, રાષ્ટ્ર સેવામાં મહત્વનું યોગદાન રહ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text